અમરોલી વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ કારખાના ના માલિક સહિત ત્રણ લોકોની હત્યા કરીને બે કારીગર ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બનતા જ સુરતમાં હાહાકાર મચી ગયો હતો. જ્યારે નોકરીમાંથી માંથી કાઢી મુકવામાં આવ્યા ત્યારે પિતા પુત્ર, અને મામાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. 25 ડીસેમ્બરે એમ્બ્રોડરીના કારખાનામાં ધનજીભાઈ રણછોડભાઈ ધોળકિયા તેમનો દીકરો કલ્પેશભાઈ ધોળકિયા અને સબંધી ઘનશ્યામભાઈ વાલજીભાઈ રજોડીયાની હત્યા કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ચપ્પુના ઘા મારી મારીને બે કારીગરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. પોલીસે ઘટનાને પગલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપીને પકડવા માટે એસઆઇટીની રચના કરી હતી. આ ટીમે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે મોટો ખુલાસો થયો. ઘટનાને અંજામ આપનાર આરોપીએ બચવા માટે પુરાવાનો નાશ કર્યો હતો. સગીર ના પિતા રાકેશ પાંડવોએ મદદ કરી હતી અને તેની પણ ધરપકડ હાલ કરવામાં આવી છે.
વેપારીઓએ ચાર્જશીટ રજૂ કરવા અંગે માંગ કરી હતી. જેને લઇ પોલીસે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી. મિત્રો તમને જણાવી દઈએ માત્ર નવ દિવસમાં આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં એસએસએલની મદદથી તમામ રિપોર્ટ મેળવવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં 100 જેટલા પુરાવા મુકવામાં આવ્યા છે. 45 થી 50 પેજની ચાર્જશીટ ફાઈલ તૈયાર કરવામાં આવી છે.
સુરત પરમાર જણાવ્યું DCP પિનાકીન પરમારએ જણાવ્યું કે કાલે કારીગર થી કંઈ ભૂલ થતાં માલ ખરાબ થયો હતો તેના કારણે માલિકે રૂપિયા આપીને નોકરી માંથી કાઢી મૂક્યો હતો ત્યારબાદ ખરેખર દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ માલિકોના મોત થયા છે. મૃતદેહ કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું આવ્યા હતા.