કોઈ મરેલું વ્યક્તિ પાછું ફરીથી જીવિત થાય જાણીને કોઈ વિશ્વાસ ન કરે. પરંતુ આ ઘટનામાં હકીકત છે. સારવાર દરમિયાન તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી અને તેના પરિવાર જનોને સોંપી દીધી હતી. ત્યાર પછી 81 વર્ષીય મહિલાને મૃત જાહેર કરતા જ ગામમાં સગા સંબંધીઓ એકઠા થયા અને અંતિમ સંસ્કાર ની તૈયારીઓ શરૂ કરી. જ્યારે સંબંધી મૃતદેહને ઘરે લઈ જવા માટે બહાર આવ્યા ત્યારે આ મહિલાને અચાનક જ હોશ આવી ગયો અને ત્યાં ઉભેલા સૌ કોઈ ચોકી ગયા. ત્યાર પછી તે મહિલાને ઘરે લાવ્યા જ્યાં તેમણે ચા પીધી.
થાણા જસરાના વિસ્તાર હેઠળના વિલાસપુર ગામના રહેવાસી સુધર સિંહની પત્ની હરિભેજી (81), તેમની તબિયત બગડતાં તેમના સંબંધીઓ દ્વારા 23 ડિસેમ્બરે ફિરોઝાબાદના ખાનગી ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવાર અને ડોકટરો તેની સંભાળ રાખતા હતા. જોકે, મંગળવારે તબીબોએ સ્વજનોને જણાવ્યું કે દર્દીનો શ્વાસ બંધ થઈ ગયો છે. એમ કહીને દર્દીને લઈ જવાનું કહીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. પરિજનોએ મહિલાને મૃત માનીને સંબંધીઓ અને તેમના શુભેચ્છકોને જાણ કરી હતી.
મહિલાનો શ્વાસ પાછો આવ્યો
પરિવારના સભ્યો મહિલા સાથે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર આંચકો લાગ્યો હતો. જેના કારણે તેણે શ્વાસ લીધો અને તે જ સમયે મહિલા ને ઉલટી થઈ અને હોશ આવી ગયો. આ જોઈને સંબંધીઓ ખુશ થઈ ગયા પરંતુ લોકો શોખમાં પણ હતા કે આવું કેવી રીતે શક્ય બને? ત્યારબાદ દર્દીને સીધી ઘરે લઈ જવામાં આવી જ્યાં તેની સેવા કરવામાં આવી. પરંતુ ફરીથી મહિલાનું મૃત્યુ થતા પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.
હરિભેજીના પુત્ર સુગ્રીવ સિંહ યાદવે જણાવ્યું કે હોસ્પિટલમાંથી લાવવામાં આવતાં તેમની માતાના શ્વાસ અચાનક ફરી વળ્યા હતા. તેના શ્વાસ પર પાછા ફરતા પરિવારના સભ્યોએ તેને ચા પીવડાવવાની સાથે ગાય દાનની પ્રક્રિયા ખુશીથી પૂરી કરી. બોલવામાં તકલીફ પડવાને કારણે તે બોલી શક્યો નહીં અને તેનું મૃત્યુ થયું.