પ્રમુખસ્વામી મહારાજનું ભવ્ય સ્મૃતિ મંદિર તૈયાર કરાયું, જુઓ કેવું લાગી રહ્યું છે અને કેટલા વર્ષ લાગ્યા આ મંદિર તૈયાર થતાં….

હાલમાં જ BAPS મંદિર સાળંગપુર માં પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર બન્યું છે. આ મંદિર અત્યંત અદભુત અને વિશાળ છે અને લોકોને પણ ખૂબ આકર્ષિત કરીદે કહેવાય છે કે પ્રમુખસ્વામી મહારાજ જ્યારે પર ધામમાં વિદાય લેતા પહેલા બાપાએ એક ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે મારી દ્રષ્ટિ મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે રહે અને મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ મારી પર રહે એવી જગ્યાએ મારા અંતિમ સંસ્કાર કરજો.

આ ઈચ્છા મુજબ જ સાળંગપુરમાં અક્ષરપુરુષોત્તમ મંદિર અને શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરની સામે અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્યાં જ તેમના ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું નક્કી કરાયું હતું. એ મંદિર ચાર વર્ષ બાદ બનીને હવે તૈયાર થઈ ગયું છે.

પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં 1200 થી વધુ મંદિરોનું નિર્માણ કરી તથા ગાંધીનગર દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામના સર્જન દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમના આયુગ કાર્ય અને અંજલી આપવા તેમના સ્મૃતિ મંદિરનો સ્થાપત્ય સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું છે. ગુરુહરી શાસ્ત્રીજી મહારાજના વસંત પંચમીના જન્મદિવસે જ ગઈ 26 જાન્યુઆરીના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી સ્મૃતિ મંદિરની પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરનો શિલાન્યાસ 17 ડિસેમ્બર 2018 માં મહંત સ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. નાગરાજ સ્થાપત્ય શૈલી ધરાવતા મંદિરની લંબાઈ 140 ફૂટ પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 6.3 ફૂટ છે. જેમાં 7,839 પથ્થરના સંયોજનથી એક ઘુમ્મટ, ચાર સમરણ અને 16 ઘુમટી આવેલી છે.

પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજે છેલ્લું ગઢડા નું મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં રાજસ્થાનના મકરાના માર્બલના આરસનો ઉપયોગ થયો હતો. પ્રમુખસ્વામી મહારાજ એવું માનતા હતા કે મકરાણાનો પથ્થર મારા ગુરુને પસંદ હોવાથી બહુ સારો અને સાયન્ટિફિકલી પણ આ પથ્થર સારા ગણાય છે, જેથી સંપ્રદાયના ભક્તોને એવું વિચાર આવ્યો કે આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું મંદિર પણ એ જ પથ્થરમાંથી બનાવીએ આ સ્મૃતિ મંદિરમાં 25 થી 30 હજાર ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જયારે સ્મૃતિ ની ડિઝાઇનમાં મેન ફાળો અમદાવાદના પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી અને ગાંધીનગરમાં રહેતા ભક્તિનંદન સ્વામીનો છે. આ બંને સંતો આ ડિઝાઇન બનાવવામાં સંપૂર્ણપણે સંકળાયેલા હતા. પરંતુ જે પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના સ્તંભ ઘુમ્મર અને અંદર બહાર થઈને કુલ 95 જેટલી મૂર્તિઓ છે. જેમાં શ્રીજી મહારાજના સમયના સંતો ભક્તોની 40 મૂર્તિ પુરુષ શાસ્ત્રીજી મહારાજના તથા પ્રમુખસ્વામી મહારાજના સમયના સંતો અને હરિભક્તોને 43 મૂર્તિ છે અને બાર નારી ભક્તોની મૂર્તિઓ લગાવેલી છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સ્મૃતિ મંદિરની મુખ્ય પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. આ તકે મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે અહીં જે આવશે તેને શ્રદ્ધા અને ભક્તિની પ્રેરણા મળશે અને શાંતિનો અનુભવ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *