શાહરૂખ ખાનને જીવતો સળગાવી દઈશ, સિનેમાઘરોમાં આગ લગાડીશ…મહંત પરમહંસ દાસે આપી ધમકી – જુઓ વિડીયો

બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ની પઠાણ ફિલ્મનો હાલમાં લોકો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં NHRC માં એક અરજી દાખલ કરીને ફિલ્મમાંથી બેશરમ રંગ ગીત અને હટાવવાની માંગ કરવામાં આવી હતી. હવે અયોધ્યાના સંત શાહરુખ ખાન પર પઠાણ ફિલ્મને લઈને ખૂબ જ ગુસ્સે થયા છે. તેમણે કહ્યું કે તે ક્યારેય શાહરુખ ખાનને મળશે તો તેને જીવતો સળગાવી દેશે. સાથે સાથે તેણે જણાવ્યું કે બેશરમ ગીતમાં આ રંગ ભગવાનનું અપમાન કરે છે.

અમારા ધર્મના લોકો આ અંગે સતત વિરોધ કરશે. આજે અમે શાહરૂખ ખાનનું પોસ્ટર સળગાવી દીધું છે. જો તે મને મળશે તો હું તેને જીવતો સળગાવી દઈશ. આચાર્ય આટલે જ ન અટક્યા તેમને કહ્યું કે જો ફિલ્મ પઠાણ સિનેમા હોલમાં રિલીઝ થશે તો સિનેમા હોલ ને પણ આગ લગાવી દઈશ. મિત્રો તમને જણાવી દઈએ આ પહેલા અયોધ્યક્ષિત હનુમાન ગઢીના પુજારી મહંત રાજુદાસે પણ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. તેમણે ગુસ્સામાં કહ્યું કે જે દિવસે મને શાહરુખ ખાન મળશે તે દિવસે હું તેની ચામડી ઉખાડી નાખીશ.

મારા માણસો મુંબઈમાં શાહરૂખને શોધી રહ્યા છે. જો કોઈ તેને શોધી કાઢે અને કોઈ તેને સળગાવી દે તો હું તેના પરિવારને આર્થિક મદદ કરીશ. હજુ આટલું જ નહીં મેં ત્રણ ખાનને માર્ક કર્યા છે પહેલા શાહરૂખ ખાન પછી આમિર ખાન અને પછી સલમાન ખાન. આ બધા માટે ફાંસીની સજા નક્કી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *