એરપોર્ટ ઉપર ચોરીની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, વાત કરીએ તો આજના સમયમાં યુવકો મહેનત કર્યા વગર પૈસા કમાવા માંગે છે અને તે માટે તેઓ દાળ ચોરીની પ્રવૃત્તિઓ કરતા હોય છે. એરપોર્ટ પર ઘણા યુવકો આવી ચોરી કરતા ઝડપાયા છે જે દુબઈથી મોટા પ્રમાણમાં સોનું લાવતા હોય છે.
હજી હાલમાં જ મુંબઈમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર રવિવારના દિવસે કસ્ટમ વિભાગ દ્વારા સાત વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ 32 કરોડ થી પણ વધારે કિંમતનું 61 કિલો જેટલું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
મિત્રો તમે જે સોનું ફોટામાં જોઈ રહ્યા છો તે સોનુ ચાર અલગ-અલગ વ્યક્તિ પાસેથી મળી આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી કથાની રાજધાની દોહાથી આવ્યા હતા. જ્યારે બાકીના ત્રણ બીજેથી આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે તેઓ ભારતમાંથી ચાલતા એક આંતરરાષ્ટ્રીય સોનાના વેપાર માટે કામકાજ કરતા હતા. આમ તો તેઓ આફ્રિકાના દાણચોરો માટે કામ કરતા હતા. કસ્ટમ વિભાગના અધિકારીઓને પણ સોનાના દાણ ચોરોની સંડવણી હોય તે અંગે કડીઓ મળી આવી હતી.
આ તમામ રેકેટનો પડદા ફાશ કરવા માટે દરોડા પાડવામાં આવ્યા. આ લોકો સોનાની દાળ ચોરી માટે ખાસ પ્રકારના બેલ્ટ નો ઉપયોગ કરતા હતા અને આરોપીય શરીરના અલગ અલગ ભાગ પર બેલ્ટ લગાવ્યા હતા, જેની અંદર સોનાના બિસ્કીટ ને સંતાડીને લાવી શકાય. પરંતુ તેઓ એરપોર્ટ પર જ ઝડપાઈ ગયા.