હાલ ગુજરાતમાં અવનવી ઘટના બની રહી છે જેમાં ખાસ કરીને ખૂન-ખરાબા જેવી ઘટના વધારે જોવા મળી રહી છે. એવામાં એક ઘટના સામે છે જે વેળાવદર શહેરમાં ચાની લારી પર પર બેઠેલો યુવક પર જાહેરમાં ફાયરિંગ ની ઘટના બની છે. આ ઘટનાને લઈને યુવકનું મોત થયું છે. પરિવાર લોકોને આ સાંભળીને હોશ ખોઈ બેઠા હતા. બીજી બાજુ ઘટનાને પગલે શહેર પોલીસ ઉપરાંત એલસીબી એસઓજીના અધિકારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી ફાયરિંગ કરનાર આરોપીને જલ્દી પાડવા ગતિમાન કર્યા છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર આજે સાંજે 7:00 વાગે આસપાસ વેરાવળ શહેરમાં ટ્રાફિકથી જામ એસટી રોડ પર કારડીયા બોર્ડિંગ ની સામે ચાની લારી પાસે સ્કૂટર પર બેઠેલો રબારી નિતેશભાઇ સરમણભાઈ કટારીયા ઉપર અચાનક અજાણ્યા વ્યક્તિ જાહેરમાં ફાયરિંગ કર્યું. જેના કારણે તેને ગંભીર પહોંચતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેની સારવાર મળતા જ પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.
બીજી તરફ હોસ્પિટલ બહાર તેના સગા સંબંધી અને તેના સમાજના લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. તેના કારણે હોસ્પિટલ દ્વારા પોલીસનો કાપલો તેનાત કરવામાં આવ્યો હતો.
પોલીસ ઘટનાએ આવતા જ તેની તૂટેલું કારતુસ જ અને રિવોલ્વર પોલીસે કબજે કર્યો હોવાનું જાણ મળે છે. જે ઘટના સ્થળ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે ઘટના પર મોપેડ સ્કૂટર મૂકીને ભાગી છુટ્યા હતા. તેના કારણે શહેરમાં પોલીસે નાકાબંધી કરી સાથે ઝડપથી તપાસ કરવા જોડાઈ હતી. આ ફાયરિંગ મનદુઃખના ના કારણે કરવામાં આવી તેવું પ્રાથમિક તપાસ સામે આવ્યું છે.આ ઘટના ના આરોપીની ઓળખ થઈ જતા પોલીસના હાથવેંતમાં જ હોવાનું જાણવા મળેલ છે.