આજે આખી દુનિયામાં મોગલ માં ના શ્રદ્ધાળુઓ અને આસ્થા-શ્રદ્ધાથી અને ભાવથી માને છે અને તેમની પૂજા પણ કરે છે. ત્યારે એક મંદિરમાં નાગદેવતા મોગલ માં ના દર્શને આવ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, એક નાગદેવ મોગલ માતાના મદિરમાં પ્રવેશ કરે છે અને માં મોગલની મૂર્તિ પાસે જઈને માં મોગલને નમન કરે છે.
આખી દુનિયાનું દુઃખ હરનારી એવી માં મોગલ કે જેઓ કોઈ પણ ભક્તોનો વાળ પણ વાંકો ન થવા દે, ત્યારે માં મોગલ એ આજ-દિન સુધી એવા પરચા બતાવ્યા છે કે આખી દુનિયા ના લોકો માં મોગલ ની માનતા માને છે. આજે પણ ગુજરાતના કબરાઉ (મોગલ) ધામમાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. ત્યાં ભક્તો ખુબ માં મોગલ માને છે. આ મંદિરમાં સેકંડો હજારો લોકો પોતાની માનતા લઈને જાય છે. પોતાની માનતા પૂરી થતા લાખો કરોડો રૂપિયા અથવા સોનાની વસ્તુઓ લઈને પહોચે છે. આ મંદિરનો મહિમા અહીંના ભક્તોમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં રહેતા સેકંડો લોકોમાં છે. માં મોગલ બધા જ લોકો નું કામ કરે છે.નાનામાં નાના મોટામાં મોટા દુઃખો માં હર્ણે છે.
એવી જ ઘટના આવી છે જે આ ઘટનાની મળતી માહિતી અનુસાર, કે માનસી બેન નામના મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે ₹8,000 લઈને માં મોગલના દરબાર આવી પહોંચયા હતા ત્યારે મણીધર બાપુ એ મહિલાને આશીર્વાદ આપ્યા અને ₹8,000 માં ₹1 ઉમેરીને બાપુએ પરત આપ્યા અને બાપુએ કહ્યું કે આ પૈસા તું તારી નણંદને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ ને આવા કોઈ દાન પેટની જરૂર નથી એ માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. મણીધર બાપુ હંમેશા કહેતા આવ્યા છે “આપે ઈ આઇ, માગે ઈ બાય”
એક યુવક કબરાઉ ધામમાં માતાજીના દર્શને અને માનતા ચઢાવવા ગયો, ત્યારે મણીધર બાપુએ પૂછ્યું, ‘બેટા, તારી કઈ માનતા પૂરી થઈ?’ યુવકે જણાવ્યું કે, ‘ બાપુ કેટલા સમયથી મારા લગ્ન થઈ રહ્યાં ન હતાં ત્યારે પણ વાત ચાલે અને છોકરી જોયાવું બધું જ નક્કી હોય ત્યાં કોઈને કોઈ અડચણ અથવા વિદ્યન આવે અને મારા લગ્ન અટકી જતાં હતાં. તે પછી મેં મોગલ માં ને માનતા રાખી. ત્યારબાદ થોડા જ દિવસો પછી માતા એ પરચો પૂર્યો અને મારી સગાઇ થઈ અને પછી લગ્ન પણ થઇ ગયા.’
એક યુવતી કહ્યું કે, હાલ તો તે લંડન થી આવે છે અને તેને અમેરિકાના વિઝા મળી જવાની સાથે જ માં મોગલની માનતા માની હતી. જે પૂર્ણ કરવા માટે અહીં માં મોગલના દરબારે 5100 રૂપિયા અર્પણ કરવા આવી પહોંચી છું. મણીધર બાપુએ 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તારા. માં મોગલ રાજી રાજી થશે.’
આપણો દેશ દેવી દેવતાને માનનારો દેશ છે. અને તેમના પર ખૂબ જ શ્રદ્ધા રાખતા હોય છે અને જ્યારે તેમના પર કોઈ પણ નાની મોટી વિપત્તિ આવે છે ત્યારે લોકો સૌથી પહેલા દેવી દેવતાને યાદ કરતા હોય છે અને તેવી વિપત્તિ થી છુટકારો અપાવવા માટે દેવી-દેવતાને પ્રાર્થના કરતા હોય છે.