ભારતીયો માટે કેનેડામાં એક મોટી તક છે. કેનેડા આગામી ત્રણ વર્ષમાં 14.5 લાખ વિદેશીઓને નોકરી આપવાની તૈયારીમાં છે. તાજેતરમાં કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર શોન ફ્રેઝરે જણાવ્યું હતું કે દેશમાં લેબર ફોર્સની અછતને કારણે અર્થતંત્રને ઘણું નુકસાન થાય છે. કેનેડાને આના પર કાબુ મેળવવા માટે વધુ લોકોની જરૂર છે. તેથી કેનેડાને ઇમિગ્રેશન લેવલ પ્લાન 2023-25 હેઠળ આગામી ત્રણ વર્ષમાં 14.5 લાખ લોકોને રોજગારી આપવાનું આયોજન કર્યું છે.
ગુજરાતીઓ માટે તક ઝડપવા જેવી
કેનેડામાં સેટલ થવા માંગતા ભારતીયો માટે ગોલ્ડન ચાન્સ છે. કેનેડા સરકારે એક્સપ્રેસ એન્ટ્રી ક્વોટા અને ફેમિલી ઇમિગ્રેશન ક્વોટામાં વધારો કર્યો છે. તમારા મનમાં ઘણા સવાલો છે હશે જેવા કે કેનેડામાં લેબર ફોર્સ ની અસર કેમ થઈ? કેનેડાની નવી ઈમિગ્રેશન નીતિ શું છે? અને તેનાથી ભારતના લોકોને કેવી રીતે ફાયદો થઈ શકે?
કેનેડામાં લોકો મહામારી પછી કામ છોડી રહ્યા છે!
કેનેડા એ જૂન જુલાઈ 2022 માં covid 19 ની સાતમી લહેરનો સામનો કર્યો હતો. આ દરમિયાન 11.2 % હોસ્પિટલ સ્ટાફ અને નર્સ પણ ચેપને કારણે બીમાર પડ્યા હતા. જેના કારણે કામદારોની અછત અને ઘણી હોસ્પિટલો ના ઇમર્જન્સી વોર્ડ બંધ થઈ ગયા.
આ વર્ષે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં 2 લાખ લોકોએ નોકરી છોડી દીધી છે. તે જ સમયે, રોગચાળા દરમિયાન કેટલાક લોકોએ તેમની નોકરી ગુમાવી હતી. જુલાઈમાં 30,000 લોકોએ એજ્યુકેશન, હેલ્થકેર અને સોશિયલ સર્વિસ સેક્ટરમાં નોકરી છોડી દીધી અને જૂનમાં 43,000 લોકોએ નોકરી છોડી. છેલ્લા એક વર્ષમાં લેબર શોર્ટેજના કારણે કેનેડાની અર્થવ્યવસ્થાને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
આવા લોકોએ હવે સ્વ-રોજગારની નવી પદ્ધતિઓ અપનાવી છે અને હવે તેઓ સ્વનિર્ભર છે. હવે કંપનીઓને ફરીથી કામ કરાવવા માટે નવા લેબર ફોર્સની જરૂર છે, પરંતુ જૂના કર્મચારીઓ કામ પર પાછા નથી આવી રહ્યા. ઈમિગ્રેશન મિનિસ્ટર શોન ફ્રેઝરે કહ્યું છે કે 2025 સુધીમાં કેનેડા 60% ઈમિગ્રન્ટ્સને ઈકોનોમિક માઈગ્રન્ટ કેટેગરીમાં પ્રવેશવાની મંજૂરી આપશે. આનો અર્થ એ છે કે આ ઇમિગ્રન્ટ્સને કેનેડામાં કાયમી રેસીડેન્સી કાર્ડ પણ મળશે.