“આપે ઈ આઈ, માંગે ઈ બાઈ” માં મોગલ નો મહિમા તો અપરંપાર રહ્યો છે અને માં મોગલ તો અઢારે વરણ ની માં મોગલ કહેવાય છે. જ્યારે જ્યારે ભક્તોના જીવનની અંદર ખૂબ જ દુઃખ અને દર્દ આવે અથવા મોટી મુશ્કેલી છે ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. એવું કહેવાય છે કે, માં મોગલ ની ઉપર રાખવામાં આવતી આસ્થા અને શ્રદ્ધાને કારણે માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને કહેવાય છે કે આજદિન સુધી મોગલ માં ના દરબારમાં થી કોઈ ભક્તો દુઃખી થઈ ને નથી ગયું.
માં મોગલ ઉપર ભક્તોને ખૂબ જ શ્રદ્ધા છે અને એ માં મોગલ બધાના જ કામ કરે છે. જો તમે સાચા દિલથી માનતા માનો છો તો માં મોગલ રાજી થઈ જશે. સાથે ભક્તોનું જીવન પણ ધન્ય થઈ જાય છે. તમે બહુ બધા પાસેથી સાંભળ્યું હશે કે માં મોગલ આજ દિન સુધી લાખો પોતાના ભક્તોને પરચા બતાવી ચૂક્યા છે. તેમજ આજે તમને એક એવી જ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માં મોગલ નો ભક્ત છે અને તેને માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમા આવેલા માં મોગલ ધામ મંદિર આવી પહોંચ્યો હતો.
ત્યારે આ યુવકેનો કિસ્સો સાંભળીને તમે પણ આ માં મોગલ ઉપર વિશ્વાસ રાખ્યો એટલે જ માં મોગલ એ તમારી માનતા સાંભળીએ છે. સાંભળ્યું છે કે કબરાઉધામ ની અંદર આવેલા માં મોગલ ધામ મંદિરની અંદર મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે અને આ યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે માં મોગલ ના મંદિરે આવ્યો હતો, મંદિરની અંદર આવીને મણીનગર બાપુના આશીર્વાદ લીધા અને માં મોગલના પણ દર્શન કર્યા.
મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે દીકરા તે શેની માનતા માની હતી? જ્યારે એ યુવકે કહ્યું કે, ઘણા લાંબા સમયથી તેનું મકાન વેચાતું ન હતું તેના કારણે મેં માનતા માની હતી અને માં મોગલ ની ઉપર ખૂબ શ્રદ્ધા રાખી હતી અને વિશ્વાસ હતો તેના કારણે, થોડા સમયમાં જ મકાન વેચાઈ ગયું અને ઘણા સમયથી કામકાજ પણ બંધ હતું. યુવકનું કામકાજ પણ ધીમે ધીમે હવે શરૂ થઈ ગયું હતું.
તેની માનતા પૂરી કરવા માટે યુવક માં મોગલના ચરણે એક લાખના 3000 રૂપિયા અર્પણ કરવા માટે આવ્યો હતો. એવામાં મણીધર બાપુએ ₹1,03,000 ની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે આ માનતા તારી મા મોગલ એ દસ ગણી સ્વીકારી લીધી છે. આ રૂપિયા તારી બહેનને આપી દેજે મા મોગલ ખુબ જ રાજી રાજી થઈ જશે.
સાથે મણીધર બાપુએ કહ્યું હતું કે આ પ્રકારનો કોઈ ચમત્કાર નથી પરંતુ તારો માં મોગલ ની ઉપર અને ખૂબ વિશ્વાસ હતો જેના કારણે આ કાર્ય પૂર્ણ થયું છે, એવી જ રીતે ઘણા બધા ભક્તોની દરેક મનોકામનાઓ હંમેશા પૂર્ણ થઈ છે. યુવક પોતાની માનેલી માનતા ને પૂરી કરવા માટે પોતાના ઘરના સભ્યોને લઈને કબરાઉ ધામ ખાતે આવેલા મા મોગલ ધામ મંદિરે પહોંચ્યો હતો અને એક લાખ ને 3000 રૂપિયા અર્પણ કર્યા હતા.